Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > Deodorant Allergy: ઉનાળામાં બેફામ ડીઓના ઉપયોગને કારણે થઈ શકે છે આ સમસ્યાઓ

Deodorant Allergy: ઉનાળામાં બેફામ ડીઓના ઉપયોગને કારણે થઈ શકે છે આ સમસ્યાઓ

Published : 01 June, 2022 03:07 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઉનાળાના દિવસોમાં હોય કે વરસાદી, પરસેવાવાળા અને ભેજવાળા વાતાવરણમાં, ડીઓડરન્ટ મનને તાજગીની લાગણી આપવાનું કામ કરે છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

Summer Special

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક


આપણે દરરોજ ઘણા કેમિકલ્સ સાથે જીવીએ છીએ. આમાંથી કેટલાક આપણી જીવનશૈલીનો અભિન્ન અંગ બની ગયા છે, જ્યારે કેટલાક શોખ કે લક્ઝરીના કારણે અપનાવવામાં આવ્યા છે. આમાંની મોટી ટકાવારી સૌંદર્ય સાધનોની છે. સાબુથી લઈને શેમ્પૂ અને લોશન સુધી અને પરફ્યુમથી લઈને ડીઓ સ્ટીક્સ સુધી, આપણું શરીર દરરોજ ઘણા કેમિકલ્સમાંથી પસાર થાય છે. સ્વાભાવિક છે કે જો કેમિકલ્સ હશે તો તે રાસાયણિક પ્રતિક્રિયાઓ પણ આપશે.


ડીઓનો ઉપયોગ પણ આ અંતર્ગત આવે છે. ઉનાળાના દિવસોમાં હોય કે વરસાદી, પરસેવાવાળા અને ભેજવાળા વાતાવરણમાં, ડીઓડરન્ટ મનને તાજગીની લાગણી આપવાનું કામ કરે છે. આ ઉપરાંત તે પરસેવાની દુર્ગંધને પણ દૂર રાખી શકે છે. મુશ્કેલી એ છે કે ડીઓનો ખોટી રીતે ઉપયોગ અથવા વધુ પડતો ઉપયોગ પણ ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી, તેના ઉપયોગ વિશે સાવચેત રહેવું મહત્વપૂર્ણ છે.



અહીં એ જાણવું જરૂરી છે કે ડીઓ ત્વચાની એસિડિટી વધારીને દુર્ગંધને નિયંત્રિત કરવાનું કામ કરે છે. ખાસ કરીને બગલ પર, પરંતુ તેનાથી પરસેવા પર નિયંત્રણ રહેતું નથી. ડીઓ એક પ્રકારનું કોસ્મેટિક જ છે. તેથી તેમાં પણ કેટલાક કેમિકલ્સ હોય છે. આ ઉપરાંત તેમાં આલ્કોહોલ પણ હોય છે. આ જ કારણ છે કે જ્યારે તમે તેને ત્વચા પર લગાવો છો, તો ત્વચા શુષ્ક અને રંગહીન પણ થઈ શકે છે.


કેટલીકવાર ડીઓના કારણે એલર્જી પણ થઈ શકે છે. આમાં, ત્વચા પર ફોલ્લીઓ, લાલાશ, ખંજવાળ, બળતરા અથવા ત્વચા પર સોજો વગેરે જેવી સમસ્યા થઈ શકે છે. આ એલ્યુમિનિયમ, આલ્કોહોલ, કૃત્રિમ સુગંધ, પ્રિઝર્વેટિવ્સ જેવા કે પેરાબેન્સ, ડાયઝ અથવા ડીઓમાં અન્ય કેમિકલ્સને કારણે થઈ શકે છે.

કારણ કે ડીઓ હંમેશા ત્વચા પર સીધુ જ લગાવવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો ડીઓ લગાવ્યા બાદ ત્વચા પર બળતરા, ખંજવાળ, શુષ્કતા વગેરેની લાગણી થાય છે, તો તરત જ તેને લગાવવાનું બંધ કરવું જોઈએ.


આ દિવસોમાં નેચરલ ડીઓ પણ બજારમાં ઉપલબ્ધ છે. આ મોટાભાગે આવશ્યક તેલ, ખાવાનો સોડા, કોર્નસ્ટાર્ચ વગેરે જેવા કુદરતી ઘટકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ કરવો વધુ સુરક્ષિત વિકલ્પ હોઈ શકે છે. જો આમાંથી પણ એલર્જીના લક્ષણો ઉદ્ભવતા હોય તો ડીઓનો ઉપયોગ કરશો નહીં.

કોટનના સ્વચ્છ કપડા પહેરવાથી, રોજ નહાવાથી, શરીરને સ્વચ્છ રાખવાથી, શરીરના વધારાના વાળ દૂર કરવા અને ખાવાની આદતોમાં થોડો ફેરફાર કરીને પરસેવાની દુર્ગંધને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે.

Whatsapp-channel Whatsapp-channel

01 June, 2022 03:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK