ટીવી ઍક્ટર કહીને હજી પણ અમને બૉલીવુડ દ્વારા રિજેક્ટ કરવામાં આવે છે : દેવોલીના ભટ્ટાચાર્જી

01 June, 2022 02:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૭૫મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હિના ખાને ઇન્ડસ્ટ્રીમાં થતા ભેદભાવ વિશે વાત કરી હતી

દેવોલીના ભટ્ટાચાર્જી

દેવોલીના ભટ્ટાચાર્જીનું કહેવું છે કે ટીવી ઍક્ટર્સ સાથે હજી પણ ભેદભાવ કરવામાં આવે છે. દેવોલીનાએ હાલમાં શૉર્ટ ફિલ્મમાં કામ કર્યું છે અને એ બહુ જલદી ડિઝની + હૉટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે. ૭૫મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હિના ખાને ઇન્ડસ્ટ્રીમાં થતા ભેદભાવ વિશે વાત કરી હતી. આ વિશે પૂછતાં દેવોલીનાએ કહ્યું કે ‘અમે લોકો બે રીતે વાત કરીએ છીએ. એક તો પૉલિટિકલી કરેક્ટ રહેવા માટે જે બોલીએ છીએ એ અને બીજું જે છે એ શબ્દેશબ્દ કહીએ છીએ. આજે આપણે એવું ઘણી વાર સાંભળીએ છીએ કે ટીવી, ઓટીટી અને બૉલીવુડ વચ્ચેની રેખા હવે ભૂંસાઈ રહી છે. જોકે સત્ય એ છે કે ભેદભાવ હજી પણ કરવામાં આવે છે અને હિના ફક્ત સત્ય કહી રહી હતી. આજે પણ અમે જ્યારે ફિલ્મના ઑડિશન માટે જઈએ છીએ ત્યારે અમને મોટા ભાગે રિજેક્ટ કરવામાં આવે છે કે તમે તો ટીવી ઍક્ટર છો. અમે બધા ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યા છીએ અને અમારા ફૅન્સ પણ લૉયલ છે. જોકે એમ છતાં ટીવી ઍક્ટર્સને બૉલીવુડ દ્વારા ઓછા આંકવામાં આવે છે.

entertainment news indian television television news devoleena bhattacharjee